Tuesday, January 6, 2009

શ્રી ભોલે બાબાના ભજન

“શ્રી રામ ત્યાગી રાજ્ય ચૌદ ચૌદ વર્ષ વસ્યા વને
હિમ, વાત, તપ, કંટક તથા શર તીક્ષ્ણ અસુરોનાં સહે,
સીતા વને ત્યાગી દીધાં તો યશ હજુય ગવાય છે !
શ્રીક્રુષ્ણ મથુરાને ત્યજી વસિયા જઈને ગોકુળે,
ગોકુળ ત્યજ્યું ત્યમ દ્વારિકા યે સિંધુમાંહે જઈ ધસે.
ઉપદેશ દીધો પાર્થને સહુ ધર્મ ત્યજવ કારણે ,
એની શરણમાં આવી કેવળ આત્મ ભજવા કારણે.
હા સિદ્ધ એથી ત્યાગ સર્વે સાધનોમાં મુખ્ય છે,
એથી મળે છે શક્તિ ને એથી ટળે છે દુઃખ રે !
કરતો ભગીરથ ત્યાગ ના તો કેમ ગંગા આવતી !
ગંગા ન ત્યજતી ગૌમુખી તો પાપ કેમ મિટવતી ?
જીવ સૃષ્ટિનું હોવું ત્યાગને આધીન છે
તો ત્યાગ સહુથી શ્રેષ્ઠ છે, આ વત સંશયહીન છે.
દે ત્યાગ ભોળા ! દેખજે પછી દૃષ્ટિ નાના સૃષ્ટિ છે.
બન્ને નહીં દેખાય ના તો અલૌકિક દૃષ્ટિ છે.
વિરલા કરોડો માંહ્ય અદ્ભુત દૃષ્ટિ આવી પામશે
એ ભક્તયોગી મુક્ત છે, જ્ઞાની વળી કહેવાય એ."

                                         

                                         - વેદાંતસુધા કુંભ - ૩

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...