Sunday, June 8, 2008

Sri Ramana Maharshi - Purvaparisthiti Condt. (પૂર્વપરિસ્થિતિ)

If you cannot read the article, than copy paste into your word document: Font Arial Unicode MS required.

(Created by itrans scheme: to read more about itrans click the label itrans on the right panel)



વેંકટરામનની આજુબાજુ ચારે તરફથી વિરોધનો વંટોળ ઊઠવા લાગ્યો. એમની સ્થિતિને કોઈ સહાનુભૂતિથી ના સમજી શક્યું. એમાં કોઈનો દોષ પણ ન હતો; કારણ કે કોઈને એ ભૂમિકાનો અનુભવ નહોતો થયો. સંસારના વિવિધરંગી વિષયો ને રસોમાં ડૂબેલા માણસો આત્મવિકાસની અભીપ્સા કે ઝંખનાને કેવી રીતે સમજી શકે ? એમને એની કલ્પના પણ ક્યાંથી આવી શકે ? એ વખતે આજુબાજુના સમાજમાં જે ધર્માચરણ ચાલતું તે કોઈ પણ પ્રકારની ચમત્કૃતિ કે જીવનશક્તિ વગરનું, રૂઢ, મોટે ભાગે કર્મકાંડ પૂરતું જ મર્યાદિત અને પરંપરાગત હતું. એનો આધાર જીવનની વિશુદ્ધિ કે જીવનના વિકાસને માટે નહોતો લેવાતો, કેવળ આત્મસંતોષ માટે જ લેવાતો. તિલક, કંઠી, દેવદર્શન, મૂર્તિપૂજા, સ્વાધ્યાય તેમજ બાહ્ય વિધવિધાનો ને વ્રતોમાંથી એ ઊંચું નહોતું આવતું. માનવના હૃદયમાં એથી પરમાત્મપ્રેમની પવિત્ર રાગરાગિણી ના પેદા થતી ને માનવનું તંદ્રાધીન અંતર એનો આધાર લઈને પરમાત્મદર્શન માટે આતુર બનીને આક્રંદ પણ ના કરી ઊઠતું. એવા માનવો જન્માંતર સંસ્કારોથી સમલંકૃત સાધકને શું સમજે ? જેને વિષયોની મોહિની ના લાગી હોય તે જ પરમાત્માના પ્રેમીના રાગમય હૃદયની પરિસ્થિતિને પારખી શકે.

પોતાની આજુબાજુની પ્રતિકૂળ પરિસ્થિતિને જોઈને ભવિષ્યના એ સર્વમાન્ય મહાત્મા પુરૂષનું મન અસ્વસ્થ બની ગયું. એમને થયું કે બરાબર છે મને કોઈ સમજી શકતું નથી ને મારું મન અભ્યાસમાં લાગતું નથી તો આ ઘરમાં મારું સ્થાન કેટલું ને ક્યાં સુધી ? જે જીવનમાં સંપૂર્ણ શાંતિ ના હોય એ જીવનની કિંમત કેટલી ? કોઈક કોલાહલરહિત એકાંત શાંત સ્થળમાં જઈને મારા સમગ્ર જીવનને સાધનામાં લગાવું એ જ ઉચિત છે. એના સિવાય જીવનનું સર્વોત્તમ સાફલ્ય નહિ થઈ શકે.

Source: (શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...