Wednesday, June 4, 2008

Sri Ramana Maharshi - Purvaparisthiti (પૂર્વપરિસ્થિતિ)

If you cannot read the article, than copy paste into your word document: Font Arial Unicode MS required.

(Created by itrans scheme: to read more about itrans click the label itrans on the right panel)



વેંકટરામનનું મન પણ એવા પ્રખર પુરૂષાર્થને માટે તૈયાર થયું. એમના અંતરમાં આત્મવિકાસના શ્રેયસ્કર ક્ષેત્રમાં આગળ વધવાનો ઉત્સાહ ઊછળવા માંડ્યો. પરિણામે સ્કૂલનો અભ્યાસ એમને ફીકો લાગ્યો. એમનું મન એના પરથી ઉપરામ થવા માંડ્યું. જે ભણતર જન્મમરણની પાર પહોંચવામાં, માનવમનની સમસ્યાઓનો ઉકેલ કરવામાં, પરમાત્માની પ્રાપ્તિમાં, ને જીવનને કાયમ કાજે કૃતાર્થ કરવામાં મદદરૂપ ના થઈ શકે, જેથી મન અને ઇંદ્રિયોને જીતવાનો માર્ગ ના મળે, તે ભણતરથી શો લાભ ? એથી કયો મહત્વનો હેતુ સરી શકે ? એની પાછળ માનવજીવનના મહામૂલ્યવાન સમયને નિર્ગમન કરવાથી શું વળે ? એ સમય ને શક્તિસામગ્રીનો સદુપયોગ જીવનને ધન્ય કરવા, આત્મસાક્ષાત્કાર સાધવા, ને મૃત્યુંજય બનવા માટે જ કરવો જોઈએ. એને માટે કોઈક એકાંત સ્થળનો આધાર લેવો જોઈએ. એ સ્થળમાં એકનિષ્ઠાથી દીર્ઘકાળ પર્યંત સાધના કરવી જોઈએ. જીવનની જે પળો પસાર થઈ રહી છે તે મહામૂલ્યવાન છે, અને એમનો ઉપયોગ એ માટે જ કરવો જોઈએ. અને એ પણ બનતી વહેલી તકે.

Source: (શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...