Monday, June 16, 2008

Sri Ramana Maharshi - Leaving home (મહાભિનિષ્ક્રમણ)

If you cannot read the article, than copy paste into your word document: Font Arial Unicode MS required.

(Created by itrans scheme: to read more about itrans click the label itrans on the right panel) 

એમના જીવનની પેલી મૃત્યુ જેવી અવસ્થાની અનુભૂતિ એમને ફરી થવા માંડી. ભગવાન અરૂણાચલની મધુમય મૂર્તિ એમની મનની આંખ આગળ ઊભી રહીને એમના અંતરને આકર્ષવા લાગી. એમણે અરૂણાચલનું શરણ લેવાનો સંકલ્પ કર્યો. એ દિવસની ઘટના એવી રીતે એમના જીવનની મહાપરિવર્તનકારી ઘટના બની રહી.


ધ્યાનમાંથી ઊઠીને એમણે પોતાના મોટાભાઈને જણાવ્યું : 

 ‘હું સ્કૂલમાં જવાની તૈયારી કરૂં છું.’

 ‘આજે સ્કૂલમાં જવું છે ?’ ભાઈએ પુછ્યું : ‘કે પછી યોગસાધના કરવી છે ?’

 ‘યોગસાધના નથી કરવી, સ્કૂલમાં જવું છે.’

 ‘તારૂં મન તો યોગસાધના તરફ લાગેલું છે, અભ્યાસમાં કે સ્કૂલમાં નથી લાગ્યું.’

 ‘તો પણ મારે સ્કૂલમાં જવું પડશે. આજે બાર વાગે એક સ્પેશિયલ કલાસ છે.?’

 ‘તો પછી મારું એક કામ કરજે. નીચે પેટીમાં પાંચ રૂપિયા છે. તે લઈને મારી ફી ભરી દેજે. તારી સ્કૂલની બાજુમાં જ મારી કૉલેજ હોવાથી તને કશી મુશ્કેલી નહિ પડે.’

વેંકટરામનના મનમાં પેદા થયેલા વિચાર પ્રવાહોની તેમને ખબર ના પડી. એમણે વેંકટરામનના શબ્દોને સાચા માની લીધા. વેંકટરામને લીધેલા ગૃહત્યાગના નિર્ણયની એ કલ્પના પણ ના કરી શક્યા. વેંકટરામને વિચાર્યું કે ઈશ્વર સાચેસાચ અનુકૂળ છે ને મારી ઉપર પોતાના અનુગ્રહની વર્ષા વરસાવી રહ્યા છે. મારે કોઈ દુન્યવી સ્કૂલમાં નહિ પરંતુ ઈશ્વરની સ્કૂલમાં જવાનું છે. ઈશ્વરે મારે માટે એક સ્પેશિયલ ક્લાસનું આયોજન કર્યું લાગે છે, ને મારે એની ઈચ્છા કે યોજનાનુસાર જીવનનું ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક શિક્ષણ મેળવવા માટે આગળ વધવાનું છે.

Source: (શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...