Friday, May 30, 2008

Parivartan No Pravah Cont. (પરિવર્તનનો પ્રવાહ)

If you cannot read the article, than copy paste into your word document: Font Arial Unicode MS required.

(Created by itrans scheme: to read more about itrans click the label itrans on the right panel)



‘આજે પણ મને નથી સમજાતું કે એ વખતે મારા પ્રાણમાં પ્રેમનાં એવાં પાર વિનાનાં પ્રખર પરમાણુઓ કેમ પ્રકટેલાં. એનાં સ્પંદનો એટલા બધાં શક્તિશાળી કેમ હતાં એનો ઉત્તર મારાથી નથી આપી શકાતો. અને એનો ઉત્તર આપવાની આવશ્યકતા પણ કયાં છે ? એ વખત પાણીના પળે પળે આગળ ગતિ કરતા પુનિત પ્રવાહની પેઠે હવે વહી ગયો છે. છતાં પણ એટલું સાચું કે એ સમયનું મહત્વ ઘણું મોટું હતું અને એ અત્યંત મૂલ્યવાન હતો. એની અસર મારા સમસ્ત જીવન પર અને ખૂબ જ શકવર્તી પડી. એ દિવસોનું સ્મરણ કરીને આજે પણ મારું અંતર અવનવા ગૂઢ ભાવનો અનુભવ કરે છે. એ અનુભૂતિ કેટલી બધી અદ્ ભુત, અનેરી અને આશીર્વાદરૂપ છે ? મીનાક્ષી મંદિરમાં પ્રવેશ કરતો ત્યારે મીનાક્ષી, સુંદરેશ્વર અને ઈશ્વરના અપાર અનુરાગથી આપ્લાવિત અંતરોવાળા નાયનાર ભક્તોની મધુમય મૂર્તિઓનું દર્શન કરતાં મારા પ્રાણમાં પ્રેમનો પ્રવાહ ફૂટી નીકળતો, રોમેરોમમાં રસના ફુવારા ફૂટતાં, આંખમાં અલૌકિક આનંદ અંજાતો ને હૃદય અવનવો ઉત્સવ કરતું હોય તેમ ઊછળવા માંડતું. અંતરમાં પ્રકટેલા ભાવસમુદ્રના પ્રશાંત તરંગો સ્નેહનું સુમધુર સંવાદી સંગીત છોડતાં વિહરવા લાગતાં.’

‘એ અવસ્થાને ગમે તે નામે ઓળખવામાં આવે પણ એ અવસ્થા પરમપવિત્ર પ્રેમની હતી એ નિર્વિવાદ છે. મારું પ્રેમપરિપ્લાવિત હૃદય મીનાક્ષી દેવી સાથે વાતો કરવા માંડતું. એ વાતો પ્રેમોદ્રેકની અથવા ભાવદશાની હતી. મારું અંતર ઈશ્વરના એ સાધારણ અનુરાગથી અલંકૃત બનીને એમનું સ્તવન કરતું ને ઊંડા સુખમાં ડૂબી જતું. એ વખતની મારી દશા ખરેખર અદ્દભુત હતી. એ વખતના દિવસો ઝડપથી પસાર થઈ જતા ને ખૂબ જ મીઠા લાગતા. પરમાત્માના પ્રામાણિક પ્રેમીઓની દશા એવીજ હોય છે એવું અનુમાન હું સહેજે કરી શકતો.’


Source: (શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...